ઘરકંકાસમાં પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

વંથલીના શાપુર ગામેં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલીના શાપુર ગામેં ઘરકંકાસમાં પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જાયદાબેન સાહીદશા બાનવા (ઉ.વ.૩૫ રહે.શાપુર રબારીવાસમાં જુની મસ્જીદ પાસે હાલ મોટા કાજલીયાળા તા.વંથલી)એ તેમના પતિ- સાહીદશા મહેમદશા બાનવા, સાસુ-ખતુબેન મહેમદશા બાનવા, નણંદ શહેનાઝબેન (રહે.તમામ શાપુર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના આરોપી સાહીદશા મહેમદશા બાનવા સાથે લગ્ન (નીકાહ) થયેલ હોય અને આરોપી ખતુબેન મહેમદશા બાનવા પોતાના સાસુ થતા હોય અને આરોપી શહેનાઝબેન પોતાના નણંદ થતા હોય અને આ ફરીયાદી પોતાના સાસરે હોય ત્યારે ફરીયાદીને પોતાના સાસરીયામા આરોપીઓએ મેણા ટોણા મારી અને માનસીક તેમજ શારીરિક ત્રાસ આપી આરોપી સાહીદશા મહેમદશાએ ફરીયાદીને ઢીકાપાટુથી શરીરે માર મારી ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.