તુ શુ કામ અમારી વિરુદ્ધ વાતો કરે છે કહી પાડોશીઓ આધેડને ઢીબી નાખ્યો

કેશોદના અગતરાય ગામેં મારામારીના બનાવમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના અગતરાય ગામેં આધેડ પોતાના પાડોશીના ઘરે દાળભાત દેવા ગયા બાદ પાડોશીઓ તુ શુ કામ અમારી વિરુદ્ધ વાતો કરે છે કહી આધેડને ઢીબી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનસુખભાઇ ખીમાભાઇ રાઠોડ (ઉ.વ ૪૮ રહે. અગતરાય તા.કેશોદ)એ આરોપીઓ સંજયભાઇ ભનુભાઇ રાઠોડ, ભનુભાઇ ખીમાભાઇ રાઠોડ, મયુરભાઇ ભનુભાઇ રાઠોડ, શાંતાબેન ભનુભાઇ રાઠોડ (રહે.બધા અગતરાય તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેની બાજુમા રહેતા ભીખાભાઇ જશાભાઇ મારડીયાના ઘરે દાળભાત દેવા જતા આરોપીએ ફરીને કહેલ કે તુ શુ કામ અમારી વિરુદ્ધ વાતો કરે છે તો ફરીયાદીએ કહેલ કે હું કાંઇ તમારી વાત નથી કરતો તેવામા અન્ય આરોપીઓએ આવી ગયેલ અને ફરીયાદીનો હાથ પકડેલ અને આરોપીએ પાઇપ ફરીયાદીને જમણા હાથમા મારેલ તેમજ સાહેદને પણ જમણા પગમા મારેલ અને આરોપીઓએ ફરીને છુટા પથ્થરનો ઘા મારી આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી અને જતા જતા કહેતા હતા કે તુ અહીથી જતો રહેજે બાકી તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.