પરિણીતા પાસે દહેજ માંગી માર મારી ઘરેથી કાઢી મુકી

હાલ ભેસાણ રહેતી પરિણીતાએ પોતાના ગાંધીનગર રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ ભેસાણ રહેતી પરિણીતાએ પોતાના ગાંધીનગર રહેતા પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ અને સાસરિયાઓએ પરિણીતા પાસે દહેજ માંગી માર મારી ઘરેથી કાઢી મુકી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયોત્સનાબેન મયુરભાઇ પરમાર (ઉ.વ.૩૩ રહે.હાલ.ચુડા તા.ભેસાણ જી.જુનાગઢ) એ આરોપીઓ મયુરભાઇ મગનભાઇ પરમાર પતિ, પુષ્પાબેન મગનભાઇ પરમાર સાસુ, મગનભાઇ પરમાર સસરા (રહે.બધા.ગાંધીનગર સેકટર-૦૭ વિજય ઓઝાના દવાખાનાની સામે મકાન નં.૫૪૮) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના લગ્ન આરોપી મયુરભાઇ મગનભાઇ પરમાર સાથે થયેલ હોય અને તેના ૧૦ વર્ષના લગ્ન ગાળા દરમ્યાન આરોપીઓએ ફરીયાદીને દુઃખત્રાસ આપી દહેજની માંગણી કરતા હોય અને આરોપી સાસુ સસરા ફરીયાદીને દુઃખત્રાસ આપવા આરોપી પતિને ચડામણી કરતા હોય આમ આરોપીઇએ ફરીયાદીને ત્રાસ આપી, દહેજની માંગણી કરી ફરીયાદીને માર મારી ઘરેથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.