તું જોઈતી નથી કહીને પરિણીતાને માર માર્યો

હાલ જુનાગઢ રહેતી પરિણીતાએ ગીરસોમનાથમાં રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જુનાગઢ રહેતી પરિણીતાએ ગીરસોમનાથમાં રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ અને સાસરિયાઓએ તું જોઈતી નથી કહીને પરિણીતાને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી તુપ્તિબેન દેવજીભાઇ બજગોતર (ઉવ ૩૨ રહે અમ્રુતનગર મધુરમ સોસાયટી જુનાગઢ)એ આરોપીઓ ચંદ્રકાંત મેઘજીભાઇ વાણવી (પતિ), અજયભાઇ મેઘજીભાઇ વાણવી (જેઠ), મેઘજીભાઇ પરબતભાઇ વાણવી (સસરા), ભાવનાબેન અજયભાઇ વાણવી (જેઠાણી), દેવેનભાઇ જેઠાભાઇ ચાવડા (નણદોયા), પ્રજ્ઞાબેન દેવેનભાઇ ચાવડા (નણંદ), ચંદ્રિકાબેન જેંતિભાઇ પરમાર (નણંદ-રહે.ઉંબરી ગામ તા.સુત્રાપાડા જી. ગીરસોમનાથ તથા ઉના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીબેનને તા.૮/૮/૨૦૨૧ થી આ આરોપીઓએ ફરીયાદીને જોઇતા ન હોય જે બાબતને લઇને શારીરીક માનશીક દુખત્રાસ આપી ફરીબેનને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.