તને રસોઇ બનાવતા આવડતી નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

હાલ જૂનાગઢ પિયરે રહેતી પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢ પિયરે રહેતી પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાને લગ્નના એકાદ વર્ષ બાદ પતિ અને સાસરિયાએ મેણાટોણા મારવાનુ ચાલુ કરી તને રસોઇ બનાવતા આવડતી નથી કે બીજુ કોઇ ઘરકામ આવડતુ નહી તેવુ કહી શારીરીક માનસીક દુખત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભગવતીબેન હીંમતભાઇ પારઘી (રહે હાલ ઇવનગર તા.જી. જુનાગઢ) એ આરોપીઓ હીમંતકુમાર મોહનકુમાર પારઘી (પતિ), મોહનભાઇ વસ્તાભાઇ પારઘી (સસરા), રંજનબેન મોહનભાઇ પારઘી ( સાસુ), રેખાબેન માવજીભાઇ પારઘી (કાકીજી સાસુ), હંસાબેન ભવાનભાઇ પારઘી (કાકીજી સાસુ) (રહે. તમામ કોઠારીયા સોલવંટ સીતારામ સોસાયટીની બાજુમા શીતળા ધાર ૨૫ વારીયા રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બેનને આરોપીઓએ લગ્નના એકાદ વર્ષ બાદ મેણાટોણા મારવાનુ ચાલુ કરેલ કે તને રસોઇ બનાવતા આવડતી નથી કે બીજુ કોઇ ઘરકામ આવડતુ નહી તેવુ કહી ફરીયાદી બેનની શારીરીક માનસીક દુખત્રાસ આપી તેમજ આરોપીઓએ ફરીયાદીને એવુ કહેલ કે તારા માવતરને દવાખાનાનો ખર્ચ આપવો જ પડશે બાકી અમારે તારી કે તારા બાળકોની કોઇ જરુર નથી તેમ કહી ગાળો આપી ઢોરમાર મારી ઘરમાંથી પહેરેલ કાઢી મુકી હતી.