વીસાવદરના ઢેબર ગામે એસિડ પી લેનાર વૃદ્ધાનું મોત

જૂનાગઢ : વીસાવદરના ઢેબર ગામે કોઈ કારણોસર એસિડ પી લેનાર વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના ઢેબર ગામે રહેતા પાંચીબેન નારણભાઇ મોવલીયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા ગત તા.૧૧ના રોજ કોઇપણ અગમ્ય કરણોસર એસીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.