જૂનાગઢમાં મરણ દાખલો માંગી દંપતીને માર માર્યો

આધેડે બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં મરણ દાખલો માંગી દંપતીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આધેડે બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સલીમભાઇ અલ્લારખાભાઇ શેખ (ઉ.વ. ૫૦ રહે. નરશી વીધ્યા મંદીર ની સામે ખત્રીવાડા સરફરાજ મંઝીલ જુનાગઢ)એ આરોપીઓ આમીરખાન હમીદખાન તુર્ક પઠાણ, સીફાનભાઇ હમીદખાન તુર્ક પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીના પત્નિ પાસે આરોપીની પત્ની શબાનબેનનો મરણ દાખલો માંગી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદી તથા ફરીયાદીના પત્નિને ઢીકાપાટુનો માર મારી આરોપીએ છરી વડે ફરીયાદીના પત્નિને જમણા પગે પોચા ઉપર મારી ઇજા પહોચાડી હતી.