જૂનાગઢમાં યુવાનને ઘરની બહાર બોલાવી લમધારી નાખ્યો

યુવાને હુમલાની ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા સુભાષનગર ખલિલપુર પાસે કોઈ બાબતની માથાકૂટનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને ઘરની બહાર બોલાવી લમધારી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દર્શિતભાઇ અશ્વિનભાઇ નંદા (રહે. જોષીપરા સુભાષનગર ખલિલપુર રોડ મકાન જય આશા પુરા જુનાગઢ)એ આરોપીઓ સોનીક પોસીયા (રહે-જોષીપરા પટેલ સમાજ પાસે જુનાગઢ), રુપેશ ઠાકોર (રહે.શાંતેશ્વર જોષીપરા જુનાગઢ) તથા એક અજાણ્યો વ્યક્તી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ તેના ઘરની બહાર બોલાવી ઢીકાપાટુનો આડેધડ માર મારી, ગાળો કાઢી છરી બતાવી ધમકી આપી હતી.