બીલખામાં બાળકો રાખવા બાબતની માથાકૂટમાં પરિણીતાએ જીવ દીધો

જૂનાગઢ : બીલખામાં પરિવારમાં બાળકો રાખવા બાબતની માથાકૂટમાં પરિણીતાએ ઝેરી દવા પીને જીવ દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની બીલખા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનાબેન મનસુખભાઇ ચોહાણ, (ઉ.વ.૩૦, રહે.રાવતપરા બીલખા) નામની પરિણીતાને પોતાના બાળકો રાખવા બાબતે માથાકુટ કરતી હોય જેથી પોતાની મેળે ઘઉમા નાખવાના સેલ્ફોસ પાવડરની પડીકી પી જતા સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.