ચારિત્ર્ય ઉપર ખોટી શંકાઓ કરી પરિણીતાને પતાવી દેવાની ધમકી આપી

કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં બનેલા બનાવમાં પાડોશી મહિલા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં આડોશ-પાડોશમાં રહેતી બે મહિલાઓ ઝઘડી પડી હતી. જેમાં પાડોશી મહિલાએ ચારિત્ર્ય ઉપર ખોટી શંકાઓ કરી પરિણીતાને પતાવી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રંજનબેન વજુભાઈ રાઠોડ (ઉ.વ.૫૭, રહે. ગંગનાથપરા, ધનશ્યામ મીલની બાજુમાં કેશોદ)એ તેમની પાડોશમાં રહેતી વનીતાબેન સોમાબેન વાઢેર (રહે. કેશોદ ગંગનાથપરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી બન્ને એક જ દિવાલે બાજુ બાજુમાં રહેતા હોય ફરીયાદી ઉપર અવાર નવાર ખોટી શંકાઓ કરી ચારિત્ર્ય ઉપર ખોટા આરોપ મૂકી તેમજ આરોપીએ પોતાના પતિને ફરિયાદીને આડાસબંધ હોવાનું આળ મૂકી અવાર નવાર ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.