વીસાવદરમાં પરિણીતાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

જૂનાગઢ : વીસાવદરના ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.આ બનાવની વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતી ભાવનાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૫) નામની પરિણીતા તેમના ઘરે ઝેરી દવા (સેલફોર્સ ના ટીકડા) પી જતા સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.