નણંદના મામેરામાં તું કઈ લાવી નથી તેમ કહી પરિણીતાને ત્રાસ આપ્યો

વીસાવદરના ઝાંઝેસર ગામે બનેલા બનાવમાં પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વીસાવદરના ઝાંઝેસર ગામે નણંદના મામેરામાં તારા પિયરથી તું કઈ લાવી નથી તેમ કહી પરિણીતાને ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અંકીતાબેન કેતનભાઇ પરમાર (ઉ.વ.૨૩ રહે-હાલ નાની મોણપરી મુળ રહે ઝાંઝેસર નાના તા.વીસાવદર)એ તેના પતિ કેતનભાઇ ખોડાભાઇ મકવાણા, સસરા ખોડાભાઇ પરમાર, સાસુ ભાનુબેન ખોડાભાઇ પરમાર (રહે.બધા નાના ઝાંઝેસર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીના બા-બાપુજીએ આરોપી પતિની બહેનને મામેરામા સોના વસ્તુ આપેલ ન હોય તે બાબતે તથા ઘરેથી કરીયાવર લાવેલ નથી તે બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુખત્રાસ આપી ઢીકાપાટૂથી માર મારી ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.