કેશોદમાં કચરો સળગાવતી વખતે દાઝી જતા વૃદ્ધાનું મોત

જૂનાગઢ : કેશોદમાં કચરો સળગાવતી વખતે દાઝી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવુબેન ભોજાભાઇ મક્કા (ઉ.વ.૮૦ રહે.મેસવાણ તા.કેશોદ) નામના વૃદ્ધા મેસવાણ ગામે એકલા રહેતા હોય અને એકલા પોતાની વાડીએ આવેલ બુરાયેલ કુવાના ખાણમાં કચરો નાખી સળગાવતા હોય ત્યારે લપસી પડી જવાથી ઇજાઓ થવાથી તેમજ ભાલુ તાપમાં પડવાથી સળગી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.