માંગરોળમાં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

જૂનાગઢ : માંગરોળમાં પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે માંગરોળ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કિરણબેન દુધાભાઇ ઉર્ફે કમલેશ પુરજી ભોજવીયા (ઉ.વ.૩૦ રહે.મુ.માંગરોળ હાલ રહે. ગરેજ) નામની પરિણીતાએ ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.