જૂનાગઢના વિજાપુરમાં ખાણમાં કામ કરતી વખતે ભેખડ માથે પડતા શ્રમિકનું મોત

જૂનાગઢ : જૂનાગઢના વિજાપુરમાં ખાણમાં કામ કરતી વખતે ભેખડ માથે પડતા દટાઈ જવાથી શ્રમિકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવેશભાઇ રવજીભાઇ ચાવડા (ઉ.વ ૨૨ રહે.ડુંગરપુર તા.જી જુનાગઢ) નામનો શ્રમિક યુવાન ગત તા. ૫ મેં ના રોજ જૂનાગઢના વિજાપુરમાં આવેલી ખાણમાં કામ કરતો હતો અને વિજાપુરની ખાણમાં કામ કરતી વખતે ઉપરથી અચાનક ભેખડ માથે પડતા તેને શરીરે ઇજા થતા સારવાર માટે જુનાગઢ સરકારી દવાખાને દાખલ કરાયો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.