જૂનાગઢમાં અસ્થિર મગજના દીકરાથી કંટાળી માતાનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢમાં અસ્થિર મગજના દીકરાથી કંટાળી માતાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જયાબેન વીરજીભાઈ વાલાણી (ઉ.વ. ૬૦ રહે સુભાષ નગર ખલીલપુર રોડ શુભેશ્વર મંદિર પીઠળ ક્રુપા જોષીપરા જુનાગઢ) નામના વૃદ્ધાએ તેમના અસ્થિર મગજના દીકરાથી કંટાળી એસીડ પી જઈને જીવનનો અંત આણી લીધો હતો. વૃદ્ધાના આંત્યાતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.