માંગરોળના રહીજ ગામે લાપતા આધેડનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો

જૂનાગઢ : માંગરોળના રહીજ ગામે લાપતા આધેડનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની માંગરોળ મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મેરામણભાઇ કેશરભાઇ વાળા (ઉ.વ ૫૮ રહે રહીજ) નામના આધેડ બે વર્ષથી માનસીક બીમાર હોય જેઓ ગત તા.૧ ના રોજ કોઇને કહીયા વગર ઘરેથી જતા રહેલ જેઓ કોઇ પણ કારણોસર અકસ્માતે રહીજ ગામની ખોખરા વાડી વિસ્તારની કેનાલમાંથી મુત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.