માણાવદરમાં તુ તારી વાડીએ જતો નહી કહી આધેડને માર માર્યો

જૂનાગઢ :માણાવદરના કોયલાણા ગામેં વાડી વિસ્તારમાં રહેતા સુરેશભાઇ વિરમભાઇ ભેટારીયા (ઉ.વ.૫૦)એ આરોપીઓ પીયુશભાઇ નારણભાઇ બારડ, હરેશભાઇ ભીખાભાઇ બારડ (રહે.બન્ને કોયલાણા તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તુ તારી વાડીએ જતો નહી એમ કહેતા ફરીયાદીએ કહેલ કે મારી વાડીએ કામ ચાલુ છે હુ તો જઇશ તેમ કહેતા આ આરોપી હરેશભાઇ પાસે કોસ હોય જેના વડે ફરીને માથાના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી હતી.