વર્ષો અગાઉ ભાડાપટે લીધેલી દુકાન ખાલી કરવા દબાણ કરી વેપારી પર હુમલો

જૂનાગઢના છાયા બજાર રંગ મહેલ ડેલા સામેના વિસ્તારમાં બનેલા બનાવમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના છાયા બજાર રંગ મહેલ ડેલા સામેના વિસ્તારમાં વર્ષો અગાઉ ભાડાપટે લીધેલી દુકાન ખાલી કરવા દબાણ કરી વેપારી પર હીંચકારો હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વેપારીએ ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રફુલ પરેશભાઈ રાજપરા (ઉ.વ.૨૨ રહે.વાંઝાવાડ શાકમાર્કેટ દીપ પૂજન એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૩૦૩ જુનાગઢ)એ આરોપીઓ દીપક જોગીયા, કરણ પાલા, જીતુ પાલા, કિશોરભાઈ ગોકળભાઈ પાલા (રહે.બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દાદાજીએ હવેલી ગલીમાં ગૌશાળા ડેલા સામે આવેલી રતિલાલ મૂળજીભાઈ રાજપરા નામની દૂકાન સનં-૧૯૫૮થી ઈશ્વરદાસ પરસોતમભાઈ બ્રાહ્મણ પાસેથી ભાડા પેટે રાખેલ હોય જે દૂકાન ઈશ્વરદાસએ સનં-૧૯૭૦માં ગોકળભાઈ ગોવિંદભાઈ પાલાને વેચી દીધેલ હોય જે દુકાનનું ફરીયાદીના પિતા ભાડુ આપતા હોય તેમ છતા છતાં આરોપીઓએ દુકાન ખાલી કરવા માટે દબાણ ફરીયાદીને દબાણ કરતા હોય અને ગઈકાલે ફરીયાદીને દૂકાન ખાલી કરી દેવા બાબતે આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે જમણા પગમાં તથા જમણા હાથે માર મારી ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.