જૂનાગઢની કાથરોટા માધ્યમીક શાળાના શિક્ષકનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કાથરોટા માધ્યમીક શાળાના શિક્ષક બળદેવપરીનું શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે સન્માન કરાયું હતું. જેમાં ક્વિઝ અભિયાનમાં સમગ્ર દેશમાં પાંચ શિક્ષકોમાં સ્થાન મેળવવા બદલ આ સન્માન કરાયું હતું.

ગુજરાત રાજય શિક્ષણ વિભાગના સહયોગથી એજ્યુટર એપ દ્વારા આયોજિત ઓનલાઈન ક્વિઝ અભિયાનમાં સમગ્ર દેશમાં પાંચ શિક્ષકોમાં સ્થાન મેળવવા બદલ આ ગણિત વિષયના શિક્ષકશ્રી બળદેવપરી સાહેબનું વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરતા સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે.