પરિણીતાને વરૂડ કહીને ચિડાવી જેઠ અને તેના દીકરાએ માર માર્યો

વીસાવદરના હસ્નાપુર ગામેં પરિણીતાએ જેઠ અને તેના દીકરા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વીસાવદરના હસ્નાપુર ગામેં પરિણીતાને વરૂડ કહીને ચિડાવી જેઠ અને તેના દીકરાએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ જેઠ અને તેના દીકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મધુબેન કાન્તીભાઇ બેદાણીયા (ઉ.વ. ૪૪ રહે. હસ્નાપુર તા.વિસાવદર)એ આરોપીઓ બટુકભાઇ સમજુભાઇ બેદાણીયા, સાગરભાઇ સમજુભાઇ બેદાણીયા (રહે. હસ્નાપુર તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીબેનને આરોપીઓ તેના જેઠ તથા જેઠના દીકરાએ વરૂડ કહીને બોલાવતા ફરીયાદીએ વરૂડ કહેવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને કુહાડીના લાકડાનો હાથો પીઠના ભાગે તથા બંને હાથમાં તથા બીજા આરોપીએ ફરીયાદીને લાકડી વડે માથામાં માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.