સાસરિયાની ચડામણીના કારણે પરિણીતાને માર મારતો પતિ

હાલ બાંટવા રહેતી અમદાવાદની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ બાંટવા રહેતી અમદાવાદની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સાસરિયાની ચડામણીના કારણે પરિણીતાને પતિએ માર મારી આ ઉપરાંત પતિ અને સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચાંદનીબેન મનીષભાઇ નારંગ (ઉ.વ.૨૪ રહે.હાલ બાંટવા ઠે.તળાવ ગલી નંબર-૦૫ તા.માણાવદર)એ તેના પતિ મનીષ જયકુમાર નારંગ, સાસુ વર્ષાબેન જયકુમાર નારંગ, નંણદ ગુજંનબેન જયકુમાર નારંગ (રહે.ત્રણેય અમદાવાદ નીલકંઠ વિહાર સોસાયટી માયા સીનેમા જીવાડ કુબેરનંગર), મામાજી સસરા જગદીશ ઉર્ફે જશુ શ્રીચંદ નારંગ (રહે.અમદાવાદ), મામીજી સાસુ રજનીબેન ઉર્ફે વીસાખા જગદીશ ઉર્ફે જશુ શ્રીચંદ નારંગ (રહે. અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીબેનને આરોપીઓની ખોટી ચડામણીથી આરોપી પતિ ફરીયાદી બેનને શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપી મેણા ટોણા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.