મેંદરડાના ગઢાળી ગામે કેન્સરની બીમારી કંટાળી આધેડે ફાંસો ખાધો

જૂનાગઢ : મેંદરડાના ગઢાળી ગામે કેન્સરની બીમારી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કાનજીભાઇ પિતામ્બરભાઇ દવે (ઉ.વ.૫૭ રહે. ગઢાળી તા.મેંદરડા) નામના આધેડને છેલ્લા ત્રણેક વર્ષથી કેન્સરની બિમારી હોય જેનુ ઓપરેશન પણ કરાવેલ હતુ, પરંતુ તેમને આ કેન્સર મટેલુ નહિ અને તેમને આ કેન્સરના લિધે અસહ્ય પીડા થતી રહેતી હતી જેથી તેમણી પોતાની કેન્સરની બિમારીથી કંટાળી જતા પોતે પોતાની મેળે મકાનની ઓસરીની આડીમા દોરડા વડે ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.