સાબલપુર ચોકડી પાસે લોલ નદીના પુલ નીચે ડૂબી જવાથી આધેડનું મોત

જૂનાગઢ : જૂનાગઢ નજીક સાબલપુર ચોકડી પાસે આવેલ લોલ નદીના પુલ નીચે ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમીનભાઇ ગુલમહમદભાઇ શેખ (ઉ.વ ૫૩ રહે શેરી નં ૫ પીશોરીવાડા સુખનાથ ચોક જુનાગઢ) નામના આધેડ ગઇ તા.૨૪ના રોજ સવારના અગ્યારેક વાગ્યે તેમના ઘરેથી કોઇને કહયા વગર નીકળી જઇ સાબલપુર ચોકડી લોલ નદીના પુલ નીચે કોઇપણ કારણસર પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.