જૂનાગઢ જિલ્લામાં ૨૨ મે સુધી હથિયારબંધી

જૂનાગઢ : તા.22 જૂનાગઢ જિલ્લા૨માં પ્રવર્તમાન સ્થિરત સંદર્ભે કાયદો વ્ય વસ્થાઓ અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છ૨નીય બનાવના બને તે માટે તા.૨૪/૦૪/૨૦૨૨થી તા.૨૨/૫/૨૦૨૧(બન્ને દિવસો સહિત) સુધી સમગ્ર જિલ્લા/માં અધિક જિલ્લા મેજસ્ટ્રેટ એલ.બી.બાભણીયાએ એક આદેશ જારી કરી હથિયારબંધી આદેશ જારી કર્યો છે.

જે અંતર્ગત કોઇપણ ઇસમે પોતાના પરવાના વાળા હથિયાર સાથે લઇને બહાર નિકળવું કે ફરવું નહીં. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુસ, લાઠી, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો સાથે લઇ ઘર બહાર નીકળવું ફરવું નહીં.પથ્થરો અથવા બીજા શસ્ત્રી ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા ,એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં, વ્યંક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં.અપમાન કરવા અથવા જાહેર કરવાનાં ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અસ્લીાલ ગીતો ગાવા નહીં.જેનાથી સુરૂચીનો ભંગ થાય તેવુ ભાષણ કરવુ નહીં તેવા હાવભાવ કરવા નહીં,તેવી ચેષ્ટાવ કરવી નહીં,તથા ચિત્રો,પ્લેથકાર્ડ અથવા બીજા પદાર્થ અથવા વસ્તુવઓ કરવી નહીં

આ આદેશ સરકારી ફરજમાં હોય,તથા ફરજ પર રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓએ કે જેઓના ફરજનાં ભાગરૂપે શસ્ત્રોી રાખવાની પરવનાગી આપવામાં આવી હોય તેવી વ્યથક્તી,શારીરીક અશકિતને કારણે લાકડી અથવા લાઠી લઇ ફરવુ જરૂરી હોય તે વ્યાક્તી, ખેડુતો પોતાની ખેતિકામ માટે ખેતીના ઓઝારો લઇ જવામાં હાડમારી ના થાય તે અને રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડુતો પોતાનાં ઓઝારો ખેતીકામ માટે લઇ જતા હોય તેમને લાગુ પડશે નહિ.