જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનના કન્ડમ વાહનોની હરરાજી કરાશે

અત્યાર સુધીમાં કુલ 687 વાહનોની હરરાજી કરી રૂ. 45,81,280 આશરે 46 લાખ જીએસટી સહિત સરકારમાં જમાં કરાયા

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. આથી જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનના કન્ડમ વાહનોની હરરાજી કરાશે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં પડેલ જૂના કુલ 687 વાહનોની હરરાજી કરી કુલ રૂ. 45,81,280 આશરે 46 લાખ જીએસટી સહિત સરકારમાં જમાં કરાવવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના બીલખા પોલીસ સ્ટેશન ખાતેના કુલ 97 વાહનો (મોટર સાયકલ), મેંદરડા પોલીસ સ્ટેશન ખાતેના કુલ વાહનો 79 (75 મોટર સાયકલ, 02 ફોર વ્હીલ, 02 રિક્ષા) તથા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ કુલ 74 વાહનો (71 મોટર સાયકલ, 01 ફોર વ્હીલ, 02 રિક્ષા)બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી, *બીલખા પોલીસ સ્ટેશનના વાહનોની તા. 25.04.2022, મેંદરડા પોલીસ સ્ટેશનના વાહનોની તા. 30.04.2022 તથા ભેસાણ પોલીસ સ્ટેશનના વાહનોની તા. 05.05.2022 ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કુલ ત્રણ પોલીસ સ્ટેશનના વાહનોની હરરાજી હોઈ, રસ ધરાવતા વેપારીઓએ ત્રણેય પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ રૂ. 50,000 ડિપોઝીટ પેટે જમા કરાવવાના રહેશે.

જેથી, જૂનાગઢ ડિવિઝનના બીલખા પોલીસ સ્ટેશન, મેંદરડા પોલીસ સ્ટેશન તથા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ કુલ 250 વાહનોની અલગ અલગ દિવસોમાં ત્રણ હરરાજી મા રસ ધરાવતા લોકોએ બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.આર.વાજા (M:-7984208600), મેંદરડા પોલીસ સ્ટેશન પીએસઆઇ કે.એમ.મોરી (M:-9723484842) તથા ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.ગઢવી (M:-9426139565), ખાતે સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.