વંથલીના શાપુર ગામેં ઘરકંકાસમાં પતિએ પત્નીને માર માર્યો

જૂનાગઢ : વંથલીના શાપુર ગામેં ઘરકંકાસમાં પતિએ પત્નીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ગૌવરીબેન પ્રફુલભાઇ ડાભી (ઉ.વ.૩૬ રહે.શાપુર ગામ તા.વંથલી હાલ રહે-કેશોદ જુના કુંભારવાડા પાસે વણકર વાસ તા.કેશોદ જી. જુનાગઢ) નામની પરિણીતાએ તેના પતિ પ્રફુલભાઇ ગોવિંદભાઇ ડાભી (રહે.શાપુર ગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પતિએ ફરીયાદીને માનસીક તથા શારીરીક ત્રાસ આપી વારંવાર ફરીયાદી સાથે મારઝુડ કરતો હોય અને ગઈકાલે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.