અગાઉ માથાકુટના સમાધાન કરવા મામલે યુવાન ઉપર કુહાડીથી હુમલો

કેશોદના ઇન્દ્રણા ગામે મારામારીના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના ઇન્દ્રણા ગામે અગાઉ માથાકુટના સમાધાન કરવા મામલે યુવાન ઉપર કુહાડીથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીના બનાવમાં પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અનીલભાઇ જમનભાઇ રાઠોડ( ઉ.વ ૩૭ રહે.ઇંદ્રાણા તા.કેશોદ)એ આરોપીઓ પ્રવીણભાઇ નગાભાઇ પરમાર, બટુકભાઇ, યોગેશભાઇ (રહે બધા ઇંદ્રાણા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને તેમના ગામના રૈયાભાઇ રબારી સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેના સમાધાનની વાત ચાલુ હોય જેથી ફરીયાદીએ એક આરોપીને આ સમાધાનમા વચ્ચે ન પડવાનુ કહેતા આરોપીએ ફરીયાદીને રોકાવી ગાળો કાઢી આરોપીઓએ સાથે મળી આડેધડ માર મારી ફરીયાદીને માથાના ભાગે કુહાડીથી ઇજા કરી હતી.