માંગરોળના આરેણા ગામે ડાયાબીટીશ તથા બીપીની બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

જૂનાગઢ : માંગરોળના આરેણા ગામે ડાયાબીટીશ તથા બીપીની બીમારીથી કંટાળી વૃદ્ધાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાકરબેન દુદાભાઇ મકવાણા (ઉ.વ.૬૫ રહે આરેણા તા.માંગરોળ) નામના વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી ડાયાબીટીશ તથા બીપીની બીમારીથી પીડાતા હોય અને આ બીમારીથી કંટાળી જઈ પોતે પોતાની રીતે એસીડ પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.