પરસ્ત્રી સાથેના સબંધને કારણે પતિએ પત્નીને માર મારી ઘરમાંથી હાંકી કાઢી

જૂનાગઢના માખીયાળા ગામે બનેલા બનાવમાં પતિ ઉપરાંત સાસરિયા સામે પણ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના માખીયાળા ગામે પરસ્ત્રી સાથેના સબંધને કારણે પતિએ પત્નીને માર મારી ઘરમાંથી હાંકી કાઢી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બીનાબેન કેતનભાઇ ગજેરા (માખીયાળા મઢી પાસે રબારી શેરી તા.જી. જુનાગઢ)એ આરોપીઓ કેતનભાઇ છગનભાઇ ગજેરા (પતિ), છગનભાઇ પુનાભાઇ ગજેરા(સસરા), લાભુબેન છગનભાઇ ગજેરા (સાસુ), જયશ્રીબન ભાવેશભાઇ પટોળીયા (નણંદ), ચેતનાબેન દીપકભાઇ કરકર (નણંદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોય તેવી શંકા હોય જેના લીધે બંને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હોય અને ફરિયાદીના પતિએ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીના સાસુ સસરા તથા નણંદોએ ફરિયાદીના પતિને ફરિયાદી વિરૂધ્ધ ખોટી ચડામણી કરી આરોપીઓએ શારીરીક માનસીક દુખત્રાસ આપી ફરિયાદીને ઘરમાંથી કાઢી મુકી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.