પરિવાર ડખ્ખામાં આધેડને પુત્ર અને સાળાએ માર માર્યો

જૂનાગઢના મજેવડી ગેઇટ પાસેના વિસ્તારમાં આધેડે પોતાના પુત્ર અને સાળા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ મજેવડી ગેઇટ પાસેના વિસ્તારમાં ઘરે આવેલા આધેડે પોતાની પત્ની ક્યાં છે એમ પૂછતાં ઉશ્કેરાયેલા તેના પુત્ર અને સાળાએ આધેડને લમધારી નાખ્યા હતા. પરિવાર ડખ્ખામાં બનેલી આ ઘટના મામલે આધેડે પોતાના પુત્ર અને સાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે .

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નાસીરખાન અનવરખાન પઠાણ (ઉ.વ.૪૮ રહે. બુકરફળીયા મસ્જિદ પાસે જુનાગઢ) એ તેમના દીકરા અરબાઝ તેમજ તેમનો નાનો સાળો અઝહર ઉર્ફે અજ્જુ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ ઘરે આવી પોતાના પત્ની વીશે પુછતા ફરીયાદીના દીકરા અરબાઝે ફરીયાદી સાથે બોલાચાલી કરી જેમા ફાવે તેમ ગાળો બોલી ઢીક પાટુ નો માર મારી અરબાઝે લોખંડની હથોડીથી પગમા, હાથમા તથા પદખામા હથોડી વડે મુંઢ માર મારી તથા અજહરે ઉર્ફી અજ્જુ એ બોચી પકડી પછાડી દઇને માર માર્યો હતો.