વીસાવદરના કાલસારી ગામે શ્વાસની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : વીસાવદરના કાલસારી ગામે શ્વાસની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના કાલસારી ગામે રહેતા
દીનેશભાઇ ભાણાભાઇ મેર (ઉ.વ.૫૫) નામના આધેડને લાંબા સમયથી શ્વાસની બીમારી હોય જેનાથી કંટાળી જેનાથી કંટાળી જઇ પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.