જૂનાગઢમાં ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દ્વારા ગીતા માર્ચ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ ખાતે ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દ્વારા ગીતા માર્ચ કાર્યક્રમ યોજાયો હતો. માનવ અધિકારોનું રક્ષણ અપરાધો રોકવા, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિશ્વશાંતી માટે ભગવતગીતાના કર્મ વિજ્ઞાન દ્વારા લોકચેતના વિકાસ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનના રામકૃષ્ણ ગૌસ્વામીએ માનવ અધિકારોના રક્ષણમાં ગીતા દર્શન, ઉચ્ચ શિક્ષણની ભુમિકા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું ગીતા દર્શન સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીતા દર્શનની પ્રશાસનમાં ભુમિકા વિશે પણ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન સાથે જોડાયેલા ડો.જે.એ.પનારા, રાજેન્દ્ર, અશોક દલસાણિયા, ઉમેશ હાંસલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.