એચ.એસ.સી.ચિત્રકામ વિષયની પરીક્ષા મેંદરડાની ગાયત્રી વિદ્યાલયને બદલે સરસ્વતી વિદ્યા મંદિરમાં લેવાશે

જૂનાગઢ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાલ ધો.૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા શરૂ છે. આ અન્વયે ઝોનલ અધિકારી એચ.એસ.સી. કેશોદની મળેલ રજૂઆત અન્વયે તા.૯/૦૪/૨૦૨૨ના રોજ ગાયત્રી વિદ્યાલય-મેંદરડા ખાતે એચએસસીની ચિત્રકામ વિષયની પરીક્ષા સવારે ૧૦:૩૦ કલાકે લેવાવાની હતી. તે પરીક્ષા હવે તે જ તારીખે અને તે જ સમયે ગાયત્રી વિદ્યાલય-મેંદરડાના બદલે સરસ્વતી વિદ્યા મંદિર-મેંદરડા ખાતે લેવાશે. જેમની શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી તેમજ જે તે શાળાના આચાર્યઓએ વિદ્યાર્થીને જાણ કરવાની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.