માંગરોળમાં આધેડને બે અજાણ્યા શખ્સોએ માર માર્યો

જૂનાગઢ : માંગરોળમાં આધેડને બે અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી હીરેનભાઇ લક્ષ્મીકાંન્તભાઇ પારેખ (ઉ.વ. ૫૩ રહે.માંગરોળ પાણીની ટાંકી સામે તા. માંગરોળ)એ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીસાથે ઝગડો કરી લાકડાના ધોકા વડે માથાના ભાગે તેમજ કપાળમાં નેણના ભાગે મારી ઇજા કરી તેમજ ઢીંકાપાટુનો માર મારી ફરીયાદીને ગભીર ઇજાઓ કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.