પાન મસાલાની દુકાનનુ તાળુ તોડી માવા-ફાકી અને પરચુરણ રકમની ચોરી

માણાવદરના આંબલીયા ગામે પાનની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માણાવદરના આંબલીયા ગામે આવેલી પાનની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં તસ્કરો પાન મસાલાની દુકાનનુ તાળુ તોડી માવા-ફાકી અને પરચુરણ રકમની ચોરી કરી ગયાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ પરબતભાઇ પાનેરા (ઉ.વ.૪૩ રહે.આંબલીયા તા.માણાવદર)એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા આરોપીઓએ ગઈકાલે રાત્રીના ત્રણેક વાગ્યાના અરશામા ફરીયાદીની દુકાનનુ તાળુ તોડી દુકાનની અંદર પ્રવેશ કરી અને થડામા આશરે પરચૂરણ તથા અન્ય રોકડ રૂ.૭૫૦૦ તથા માવા (ફાકી) નંગ-૪૦ કિ.રૂ.૪૦૦ મળી કૂલ રૂ.૭૯૦૦ ની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.