મનોવિકલાંગ પીડિતા પર કુકર્મ આચરી નરાધમે ગર્ભવતી બનાવી દીધી

જૂનાગઢના એક ગ્રામ્ય વિસ્તારની ધૃણાસ્પદ ઘટનામાં પીડિતા ગર્ભવતી થતા નરાધમના કુકર્મનો ભાંડો ફૂટ્યો

જૂનાગઢ : જૂનાગઢના એક ગ્રામ્ય વિસ્તારમાં એક ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે. જેમાં મનોવિકલાંગ પીડિતા પર કુકર્મ આચરી નરાધમે ગર્ભવતી બનાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ધૃણાસ્પદ ઘટનામાં પીડિતા ગર્ભવતી થતા નરાધમના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો.

જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મનોવિકલાંગ પીડિતાના પિતાએ આ બનાવ અંગે તેમના જ ગામમાં રહેતા આરોપી મનસુખભાઇ ભોવાનભાઇ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની મંદબુધ્ધીની કુંવારી દીકરીને આરોપીએ હવસનો શિકાર બનાવી હતી અને માનસીક અસમર્થ ભોગ બનનારનો મંદબુધ્ધી અને ભોળપણનો લાભ ઉઠાવી આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી ફરીયાદીની ભોગબનનાર મંદબુધ્ધીની દિકરીને પ્રેગનેટ કરી દેતા આ ગંભીર મામલો સામે આવતા નરાધમ આરોપી ઉપર ફિટકારની લાગણી વરસી છે. પોલીસ આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.