પતિના ઘરે દીકરીને તેડવા ગયેલી પરિણીતાને પતિ અને સાસરિયાએ ઢીબી નાખી

જુનાગઢના અક્ષર મંદીર સામે વિસ્તારમાં બનેલા બનાવમાં પતિ અને સાસરિયાઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જુનાગઢના અક્ષર મંદીર સામે રિસામણે બેઠેલી પરિણીતા પોતાની પતિના ઘરે રહેલી પુત્રીને તેડવા ગયા બાદ પતિ અને સાસરિયાઓએ મળીને પરિણીતાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આ અંગે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પુજાબેન સંજયભાઇ વાધેલા (ઉ.વ ૨૬ રહે દાતાર રોડ વસીલા પાન વાળી દુકાન ની ગલીમાં જુનાગઢ) એ આરોપીઓ સંજયભાઇ, સાસુ લાભુબેન , સસરા ગુલાબભાઇ , મોટા જેઠ અશ્વીનભાઇ, નાનો જેઠ અનિલ (રહે બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદી એક વર્ષથી રીસામણે હોય અને ગઈકાલે તેના ભાઇને સાથે લઇ પોતાની દીકરી રૂહીને લેવા તેના પતિના ઘરે ગઈ હતી.

ફરિયાદી પતિના ઘરે જતા ત્યા કોઇ હાજર ન હોય જેથી ફરીયાદી તથા સાહેદ પોતાના પતિનો તરબુચનો થડો હોય ત્યા ગયેલ તો તેના પતિ સાસુ-સસરા બન્ને જેઠ આ બધા હાજર હોય ફરીયાદીએ કહેલ કે મને મારી દીકરી સોપી દો જેથી તેના સાસુ સસરાએ ના પાડેલ અને કહેલ કે તારી ત્રણેય દીકરીઓ તુ સોપી દે તુ જોતી નથી તેમ કહેતા ફરીયાદી તથા સાહેદ પોતાના ઘરે આવતા હતા ત્યારે આરોપીએ પાછળથી આવી ભુંડી આપી ઝપાઝપી કરવા લાગેલ તેવામા તેણીના સાસુ સસરા પણ આવેલ ને તે પણ ઝપાઝપી કરવા લાગેલ ને તેના સસરાના હાથમા લાકડીનુ બટકુ હતુ તેના વડે આડેધડ માર મારવા લાગેલ ત્યારબાદ નાના મોટા બન્ને જેઠ આવીને મોટા જેઠે લોખંડના પાંઇપનુ બટકુ હતુ તે સાહેદને મારવા જતા ફરીયાદી વચ્ચે પડતા કપાળના ભાગે લાગતા ત્યાર બાદ નાના જેઠે પણ લાકડાના બટકા વડે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.