જુના મનદુઃખનો ખાર રાખી આધેડ ઉપર લોખંડના તોલાથી હુમલો

જૂનાગઢના ધરાનગર હુડકો લાઇન પાછળ મારામારીના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધરાનગર હુડકો લાઇન પાછળ જુના મનદુઃખનો ખાર રાખી આધેડ ઉપર લોખંડના તોલાથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જો કે આધેડ અને તેની સાથેના વ્યક્તિને પણ બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લાખાભાઇ બાલુભાઇ વાઘેલા (ઉ.વ.૪૭ રહે.બંટીયા ગામ તા.વંથલી જી.જુનાગઢ) એ આરોપીઓ રમેશભાઇ બાલુભાઇ વાઘેલા (રહે.બંટીયા ગામ તા.વંથલી), કાંતીભાઇ બાલુભાઇ વાધેલા (રહે.સાંતલપુરની ધાર ગામ તા.વંથલી જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીને ફરીયાદી સાથે જુનુ મનદુખ હોય અને જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને એક્દમ ઉશ્કેરાઇને લોખંડનુ તોલુ માથામા મારી દીધેલ અને લોહી નીકળવા લાગતા સાહેદ વચ્ચે પડતા બીજા આરોપીએ સાહેદને પણ ડાબા હાથમા લાકડાથી મુઢ માર માર્યો હતો.