જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકોને તમામ જાણકારી સંબંધિત એજન્સીને આપવા તાકીદ

દરિયામાં બોટ-વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અ.લ.બી. બાંભણીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ/બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે.

જેમાં પ્રથમ વહાણ/બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ/ બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ/બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ/બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ, અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે. આ જાહેરનામાનો હુકમ તાત્કાલિક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.