બાંટવાના પાદરડી ગામે વિજશોકથી યુવકનું મોત

જૂનાગઢ : બાંટવાના પાદરડી ગામે વિજશોકથી યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેતનભાઇ ભાણજીભાઇ કેશવાલા (ઉ.વ.૨૭ રહે.ઓસા ઘેડ તા.માંગરોળ, જી.જુનાગઢ) નામના યુવકને મગજની તકલીફ હોય જેના કારણે અવાર નવાર જયાં ત્યાં જતા રહેતા હોય અને ગત રાત્રીના પણ ઘરેથી નીકળી જતા રહેલ અને પાદરડી ગામેની સીમમાં આવેલી વાડીએ તેને ઇલેકટ્રીક શોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.