વિસાવદરમાં બીપી અને હૃદયરોગની બીમારી કંટાળી વૃદ્ધાએ એસિડ પીને જીવ દીધો

જૂનાગઢ : વિસાવદરમાં બીપી અને હૃદયરોગની બીમારી કંટાળી વૃદ્ધાએ એસિડ પીને જીવ દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જશુબેન મનશુખભાઇ નિમાવત (ઉ.વ. ૬૫ રહે.વિસાવદર) નામના વૃદ્ધાને ઘણા સમયથી બીપીની પ્રોબ્લેમ હોય અને દોઢેક વર્ષ પહેલા હદયરોગનો હુમલો આવેલ હોય જે પીડાથી પિડાતા હોય તેથી પોતે આપમેળે એસીડ પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.