કરીયાવર મામલે પતિ અને સાસરિયાએ ત્રાસ આપી પરિણીતાને કાઢી મૂકી

જૂનાગઢના આંબેડકર નગર હનુમાન ચોક પાસેના વિસ્તારમાં બનેલા બનાવમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના આંબેડકર નગર હનુમાન ચોક પાસેના વિસ્તારમાં કરીયાવર મામલે પતિ અને સાસરિયાએ ત્રાસ આપી પરિણીતાને કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હેમાબેન મીતભાઇ વાળા (ઉ.વ.૨૨ રહે.ડો.આંબેડકર નગર હનુમાનચોક પાસે શક્તી ક્રુપાની ગલી જુનાગઢ, હાલ જુનાગઢ મધુરમ અન્નપુર્ણા મંદીરની બાજુમા અદીતી નગર દીપકભાઇ દેવજીભાઇ મકવાણાના ઘરે)એ આરોપોઓ મીતભાઇ મગનભાઇ (પતિ), હેમલતાબેન મગનભાઇ (સાસુ), મગનભાઇ પુંજાભાઇ (સસરા), શીવાંગીબેન મગનભાઇ (નણંદ), ચાંદનીબેન મગનભાઇ (નણંદ-રહે.ડો.આંબેડકર નગર હનુમાન ચોક પાસે શક્તી ક્રુપાની ગલી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ તથા સાસુ–સસરા તથા તેના બન્ને નણદો એમ બધા કરીયાવર બાબતે મેણા-ટોણા બોલી ફરીયાદી બેનને ગાળો બોલી મારકુટ કરી,શારીરીક માનશીક દુખત્રાસ આપી તેના પતીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની તેની દિકરી ઝૂંટવી લઈ પહેરેલ કપડે કાઢી મુકી,બાદ ફરીયાદીના મમ્મીના સમજાવટથી નાની દિકરીને આપી દીધી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.