જૂનાગઢ : વિસાવદરના હરિપુર ગામે ભૂલથી ઝેરી દવા પી લેનાર નવોઢાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના હરિપુર ગામે હરેશભાઇ સાવલીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા દિનેશભાઇ રમેશભાઇ પારધી ગત તા.૧૯ના રોજ ભાગીયાની વાડીએ મગફળીમા જંતુનાશક દવા છાટતા હોય જે દવાની ભેળસેળ કરી ડોલમા ભરેલ હોય ત્યારે તેમના પત્ની સરલાબેન દીનેશભાઇ પારધી (ઉ.વ.૧૮)ને તરસ લાગતા તેઓ ભુલથી ડોલમાથી પાણી પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા અને લગ્નજીવનના ટૂંકાગાળામાં આ નવોઢાના આકસ્મિક મોતથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
- Advertisement -
Popular Article
લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને શોધી કાઢતું ગૂગલ
Admin -
લોકડાઉન દરમિયાન ૭૦૦ થી વધુ અભ્યાસલક્ષી વિડિયો બનાવતા ગૂગલ દ્વારા પસંદગી ૭ લાખના ખર્ચે ઘરે જ ડિઝીટલ લોકડાઉનમાં સૌથી વધુ વિડિયો અપલોડ કરનાર જૂનાગઢના શિક્ષકને...
જૂનાગઢમાં માત્ર 42 દિવસના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવતા તબીબો
Admin -
જન્મથી જ કરોડરજૂની બીમારીથી પીડાતા બાળકને બચાવવા મેટ્રો શહેરની હોસ્પિટલે હાથ ઊંચા કર્યા બાદ જૂનાગઢના તબીબોએ ચેલેન્જ ભરી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી જૂનાગઢ : જૂનાગઢમાં...
જૂનાગઢથી ગીર સોમનાથ ખાતે બદલી થતા વીજ કર્મચારીનો આપઘાત
Admin -
જૂનાગઢના મધુરમ વીજયા લક્ષ્મી પેલેસમાં રહેતા વીજ કર્મચારીના અત્યાતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી જૂનાગઢ : જૂનાગઢથી ગીર સોમનાથ ખાતે બદલી થતા વીજ કર્મચારીએ ઝેરી દવા...