પરસ્ત્રી સાથેના સબંધને કારણે લફરાબાજ પતિએ પત્નીને આપ્યો ત્રાસ

જૂનાગઢના ઝાંઝરડા રોડ પરની સોસાયટીમાં બનેલા બનાવમાં પતિ ઉપરાંત સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા રોડ પરની સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરસ્ત્રી સાથેના સબંધને કારણે લફરાબાજ પતિ અને ઘરકંકાસમાં સાસરિયાઓએ પત્નીને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજીવનીબેન હર્ષકુમાર ઠાકર (ઉવ.૨૮ રહે.ઝાંઝરડા રોડ નયન સોસાયટી, સુબોધ્ધનગર-૧, હવેલીની બાજુમા ’’ઓમ’’ જુનાગઢ) એ આરોપી હર્ષકુમાર રજનીકાંતભાઇ ઠાકર (પતિ), મીનાબેન રજનીકાંતભાઇ ઠાકર (સાસુ), રજનીકાંત જયંતી લાલ ઠાકર (સસરા), અંકીતા (રહે.બધા જાનવી નોબલ એસ્ટેટ-બી, સોસાયટી ઝાંઝરડા રોડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને આરોપીઓ તેના લગ્ન જીવન દરમિયાન ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી ફરીયાદીના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેના કારણે તેના પતી તેની સાથે નાની નાની બાબતમાં ઝઘડો કરતા હોય અને શારીરીક માનસીક દુઃખત્રાસ આપ્યો હતો.