વંથલીના નવાગામેં ખેતરમાંથી ૩૦ મણ ઘઉંની ચોરી

જૂનાગઢ : વંથલીના નવાગામેં ખેતરમાંથી ૩૦ મણ ઘઉંની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું.પગેરું દબાવવા સઘન તપાસ શરૂ કરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મીલનભાઇ ચંદુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫ ધંધો.ચાર્ટ્ટટ એકાઉંટેડ-સી.એ. રહે. નવાગામ-મહોબ્બતપુર તા.વંથલી જી.જુનાગઢ) એ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૯ના રોજ નવાગામ, (મહોબ્બતપુર) સર્વે નં-૨૪૩ માં અજાણ્યા ચોર ઈસમો ત્રાટકયા હતા અને અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના ખેતરમાંથી ઘઉના ૧૫ કટા એક કટામાં બે મણ લેખે પંદર કટામાં કુલ ૩૦ મણ જેની કી.રૂ.૧૩,૫૦૦ મતાની ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.