જૂનાગઢમાં સંતાનોની બીમારીની ચિંતામાં પિતાએ ફાંસો ખાધો

પરિવારના મોભીએ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી ગઇ

જૂનાગઢ : જૂનાગઢમાં સંતાનોની બીમારીની ચિંતામાં પિતાએ ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. પરિવારના મોભીએ આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી ગઇ હતી.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ વિધાવિહાર સોસાયટીમાં રહેતા વિજયભાઇ મનસુખભાઇ ક્રિષ્નાતર (ઉ.વ ૪૦) એ ગઈકાલે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પોતાના સંતાનોની તબિયત સારી ન હોય જેથી સતત ચિંતામા રહેતા હોય જેથી પોતે પોતાના ધરે ગાળાફાસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.