જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ દ્વારા ડૉ. ચિંતન યાદવનું સેવાકીય પ્રવૃત્તિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ ભારતી આશ્રમ ભવનાથના હરિહરાનંદ ભારતી બાપુની પ્રેરણાથી લઘુમહંતશ મહાદેવ ભારતી બાપુએ જુનાગઢની “આસ્થા હોસ્પિટલ”ના ડૉ. ચિંતન યાદવને તેમની દરિદ્રનારાયણ પ્રત્યેની સેવાથી પ્રભાવિત થઈને તેમનું સાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માનિત કર્યા હતા.