જુનાગઢના ડુંગર દક્ષિણ રેન્જ ભવનાથના અભ્યારણ વિસ્તારમાં જૂની પેશકદમી દૂર કરાઈ

કોર્ટના અદેશને પગલે જૂનાગઢ વનવિભાગે કાર્યવાહી કરી

જૂનાગઢ : વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ભવનાથ રાઉન્ડના કાર્ય વિસ્તારના અભ્યારણ્ય વિસ્તારમાં વર્ષો જૂની પેશકદમી બાબતે નામદાર કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં 31/12/2021ના રોજ વનવિભાગ જૂનાગઢના તરફેણમાં ચુકાદો આવતા આ પેશકદમી તાત્કાલિક ધોરણે દુર કરવા હુકમ કરાયો હતો.

નામદાર કોર્ટેના હુકમના આધારે તારીખ-14/03/2022 ના રોજ પેશકદમી યુક્ત જમીનની સર્વે દ્વારા રી-સર્વે કરી જે તે સ્થળ પર રોજકામ કરી દિન -2 માં આ પેશકદમી યુક્ત આનંદ આશ્રમ અને સાંકેટ કુંજના મહંતને તેમનો સામાન અને કીમતી ચીજ વસ્તુઓ હટાવી લેવા જાણ કરવામાં આવેલ બાદ આજે તા.16ના રોજ વન વિભાગ જુનાગઢના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસીએફ અરવિંદ ભાલીયા અને ડુંગર દક્ષિણ રેન્જ તથા ઉત્તર રેન્જના સ્ટાફને સાથે રાખી પેશકદમીવાળા આનંદ આશ્રમ અને સંકેત કુંજ આશ્રમમાં જઇ તેમનો કિંમતી સામાન અને જરુરીયાતવારી ચીજવસ્તુઓ જેતે સાધુ સેવકોને સોંપી તથા અન્ય સામાન આશ્રમના રૂમમાં એકઠો કરી લોક મારી આ આશ્રમોની જમીન નામદાર કોર્ટેના હુકમથી જૂનાગઢ વન વિભાગ હસ્તક લેવામાં આવેલ છે.