જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવકને લમધાર્યો

જુનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવકને લમધાર્યો હોવાની ઘટના સામે સ્વી છે. આ બનાવ અંગે ફરિયાદી રવિભાઈ જેન્તીભાઈ રાખેશીયા (ઉ.વ.૩૦ રહે, બસ સ્ટેશન પાછળ શ્રીનાથ નગર માનસ સ્કુલની બાજુમા સુદામાપુરી સોસાયટી જુનાગઢ) એ આરોપી નુર મહમદ હાલા (રહે. ચીતાનાખાના ચોક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીએ અગાઉનુ મન:દુખ રાખી ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે ફરિયાદીને શરીરમા ઘા મારી ઈજાઓ કરી હતી